Total Pageviews

Powered By Blogger

Friday, October 20, 2017

નવા વર્ષે શું સંકલ્પ લેશો ?

નવા વર્ષની સવાર હું મોટા ભાગે ઓફિસમાં ઉજવાય તેવું માનું છું...જો કે મારા ગામડે પરીવાર સાથે જવાનુ થાય તો પણ એક વખત હું ઓફિસના કામ ફોનથી પણ કરી લેવામાં માનું છું..આ પાછળનુ મારૂું માત્ર અંગત મત એવો છે કે નવા વર્ષે જો તમે જોશથી કામ કરો તો આખા વર્ષ દરમિયાન કામ કરતા રહો(આ માત્ર મારૂં અંગત માનવું છે )જો કે નવા વર્ષે હું મારી રૂટીન પુજા પાઠથી હટીને થોડું માતાજી પાસે માંગવાનો પણ પ્રયાસ કરતો હોવ છું..(સામાન્ય રીતે માતાજીની પાસે હું માંગતો નથી હોતો,માતાજીએ મને વગર માંગ્યે ખુંબ આપ્યું છે...અને એનો સદાય હું ત્રુણી રહીશ ) પણ નવા વર્ષે હું અચુક માતાજી પાસે માગું છું..અને હું ઇચ્છું છું કે દરેક નાગરીકે પોત પોતાના દેવી શકિત પાસે આ દિવસે માંગવું જોઇએ..જો કે હું કોઇ ભૌતિક સુખ સુવિધા નહી પરંતુ વર્ષ દરમિયાન મારાથી બીજાનુ ખરાબ ન થાય અને બને ત્યાં સુધી સારા કર્મો થાય તેવી માંગ હુ માતાજી પાસે કરતો હોવ છું..આ જે બ્લોગ લખવાનો એટેલે વિચાર આવ્યો કે ઘણા લોકો મને પુછતા હોય છે કે યાર તારી સફળતા પાછળ રાઝ શું છે...( જો કે હું હજુ પણ એવું માનું છું કે હું કોઇ સફળ નથી ,હું માત્ર મજૂરી કરુ છું ,છતાં મારા મિત્રો અને મને નજીકથી ઓળખનાર લોકો એવું જરુર માને છે કે હું નાની ઉંમરમાં એક પ્રતિષ્ઠિત ચેનલનો એડિટર બની ગયો છું એટલે હું સફળ છું ) ત્યારે હું હંમેશા એમને પ્રત્યુતર આપું છું કે હું સફળ નથી પણ છતાં તમને લાગે છે તો હું બે વાતમાં જરૂર માનું છું  એક તો કોઇ નું ખરાબ નહી કરવાનું અને બીજુ કે હાર્ડ વર્ક કરવાનુ...મિત્રો હાર્ડ વર્કનો કોઇ વિકલ્પ નથી હોતો એવો હું અચ્ચુક પણે માનું છું...પણ મને જૌ સૌથી આકર્ષે છે તો આ વાક્ય કે હું હંમેશા માતાજી અને ભગવાન પાસે પ્રાથનામાં એક  વચન અવ્શય માંગતો હોવ છું કે મારા હાથથી કોઇનો ખરાબ ન થાય,હું કર્મના સિદ્ધાતમાં અચુક માનું છું..હું લક્ષ્મીજી કરતા સરસ્વતિની પુજામાં માનું છું...કારણે હું લક્ષ્મીથી લલચાતો નથી પરંતુ હા માં સરસ્વિતને હંમેશા એવી પ્રાથના કરું છું કે માં તું મારી જીભે સદાય રહે જે...હું મારી (મારી એટલા માટે કહું છું કે ક્યારેય કામઇ માંને યાદ કરી હોય અને સાદ ન મળ્યો હોય તેવું બન્યું નથી )કામઇ માં,સોનલમાં અને નાગબાઇમાં માં ખુબ વિશ્ર્વાસ ધરાવું છું...અને હું કોઇનું પણ ખરાબ કરવાનુ તો દુર વિચારું તો પણ માતાજીઓ નારાજ થશે તેવું હું અંગત રીતે માનું છું...આથી નાની જિંદગીમાં બીજાનુ ભલુ કરી શકીએ તો એનાથી ઉતમ કોઇ કામ નથી,વીટીવી પર સાંજે આઠ કલાકે આવતા મારા પ્રગ્રામને લઇને હજારો લોકોના જયારે મેસેજ કે ફોન કોલ આવે અને તેઓ અજાણ્યા છતાં પણ એવી વાત કરે કે ઇસુદાન ભાઇ તમે નિષ્પક્ષ તરીકે જનતાના ભલા માટે બોલ્યા તે બદલ આભાર ત્યારે ખરેખર પરંમ આનંદની લાગણીનો અનુભવ થાય.( જો કે પોતાની જાતને ઘણા હોશીયાર માનતા અને કોઇ પાર્ટી,પક્ષ કે વ્યકિતને પોતાના માનતા લોકો નારાજગી પણ વ્યકત કરતા હોય છે,કારણ કે તેઓ તેની પાર્ટીની ચશ્મા પહેરીને આ જોતા હોય છે,જેની આપણે પરવા કરવાની નથી હોતી.)..મિત્રો હું ખરાબ કર્મથી બહું જ ડરૂં છું..કારણ કે ભગવાને આપણને ખરાબ કર્મ માટે આ ધરતી પર નથી મોકલ્યા કારણ કે એક વાત આપણે જરૂર સ્વીકારવી પડે કે જેનો જન્મ થાય છે તેનો મૃત્યુ નિશ્ર્ચિત છે,આપણે કેટલું જીવવાના છે તે આપણને ખબર નથી,જે શરિર આપણો છે તેને પણ આપણે છોડી દેવાનું છે,એટલે કે ભૌતિક સુખનો જે અનુભવ શરિર કરે છે તેને પણ આપણે છોડી દેવાનુ હોય તો પછી આપણે ખોટી લક્ષ્મી કે ભૌતિક સુખ પાછળ આંધણી દોટ શુ કામ મુકવી જોઇએ,અને તે પણ ખરાબ કર્મ કરીને ..એટલે આજે બ્લોગ લખવાનુ મન એટલે થયું કે આજે જે પણ રીડર બીરાદરોને નવા વર્ષની ઉજવણી કરી હોય તેઓએ એક સંકલ્પ જરૂર લેવો જોઇએ...અને એ તેવો સંકલ્પ હોવો જોઇએ કે જે માત્રને માત્ર તમારા મૃત્યુ પછી પણ તમને મદદ કરે...અને શાસ્ત્રોનુ માનીએ તો એ કર્મ છે...એટલે કે આજે દરેકે કોઇનો ખરાબ ન કરવાનુ સંકલ્પ લેવો જોઇએ...ભગવાન કોઇનું પણ આપણા હાથે ખરાબ ન કરાવે...સાથે સાથે વધુને વધુ આપણે પ્રામાણીક બનીએ..જો આપણે પ્રામાણીક હશું તો અને તો જ આપણે બીજા પાસેથી એ અપેક્ષા રાખી શકશું....આથી આજે જો આ દેશને જરૂરીયાત છે તો એવા યુવા પ્રામાણીક લોકોની છે..ભલે તમે ડોકટર બનો પરંતુ તમારા વ્યવસાયમાં જો તમે ડીલીવરીના નામે ખોટી રીતે સીઝેરીયન કરીને પેટ ચીરીને 30000 રુપિયા કમાશો તો  તમે એવો પાપ કરી રહ્યા છો કે જેનો બદલો કર્મના સિદ્ધાંત પ્રમાણે તમારે આપવો પડશે...તમે ભલે કરોડો રુપિયા કમાઇને ગામમાં વ્હાઇટ કોલરથી  રિબિનો કાપીને ફરતા હશો પરંતુ તેનાથી ભગવાન અથવા તો તમારા ઇષ્ટ દેવ એનાથી પણ આગળ ખુદ તમારો આત્મા રાજી નહી હોય..અને જો આત્મા જ રાજી ન હોય તેવો અપ્રામાણીક ધંધો શું કામ કરવું પડે....તમે આઇએએસ અને આઇપીએસ બનીને લોકોનો રોડ મોડેલ બન્યા હશો પરંતુ જો તમે પ્રામાણીક ન બનીને ખોટું કામ કરતા હશો તો તમે ભગવાન કે તમારા ઇષ્ટદેવને પણ સારા નહી લાગો ઉલ્ટાનુ વધુ ખરાબ કર્મ કરીને તમે તમારા પરીવારને પણ નુકશાન પહોંચાડશો...આપણા પુર્વજો પંચનું ક્યારેય ખાતા નહી અને એટલે જ તેઓ પીરવાર સાથે ખુબ જ ખુશ રહી શકતા,એક વચનના કારણે જીવ દેતા પણ અચકાતા નહી...આજે સવારથી ખોટું બોલવાનુ શરૂ કરીને સાંજે સુવા જઇએ ત્યાં સુધીમાં દશ લોકોને મામું બનાવીને પણ ઉપરથી ગર્વ લઇએ ..એ ખરેખર કર્મ સિદ્ધાતની દ્રષ્ટીએ ખુબ જ ખરાબ છે...તમે જોતા હશો કે ચાર રસ્તા આવે ત્યારે નાના બાળકો ભીખ માંગતા હશે ..ક્યારેય વિચાર આવ્યો કે તેઓ કેમ ભીખ માંગે છે...મને બહુ ખબર નથી પણ હું અનુમાન એવું કરું છું કે એ કદાચ ગયા જન્મના કર્મ હશે કે ભગવાને મોકો આપવા છતાં પણ તેઓ સારૂુ કરવાને બદલે પોતાના ઘર ભર્યા હશે...જો કે તો પણ આપણે તો તેમની પર દયા જ ખાવી ઘટે કારણે કે તમારા દશ રુપિયાથી પણ તેમના પેટની આંતરડી ઠરતી હશે તો તેનો પણ પુન્ય મળશે..ઘણા લોકો એવા બહાના કાઢતા હોય છે કે ભીખ માંગે છે તેના કરતા કામ કરતા હોય તો અને એટલે તેઓ પોતાના ગજવા માંથી દશ રુપિયા પણ કાઢતા નથી હોતા..તેવા મિત્રોને મારે કહેવાનુ કે એવું કેમ નથી વિચારતા કે ભગવાને આપણને મંદિરના બદલે આ ભુખ્યા લોકોને કંઇક આપવા માટે મોકો આપ્યો હશે,....કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે બને તેટલું આપણે સારું કરીએ જો ન થાય તો પ્રયાસ જરૂર કરીએ...તમે વિચાર કરો કે આ દેશમાં માત્ર એક વર્ષ માટે પણ જો તમામ નાગરીક પ્રામાણીક બની જાય તો એક પણ માણસ દુખી કે ગરીબ ન રહે...કારણ કે તમે જે રેશન કાર્ડ કઢાવવા જવાના છો ત્યાં મામલતદાર પ્રામાણીક હશે તમારે એક પણ રુપિયો ખર્ચ નહી કરવો પડે,તમે પોતે પ્રામાણીક હશો તો તમે ખોટી સહાય લેવાને બદલે જે ગરીબ અને સાચો હક્કદાર છે તેનુ નામ ચિંધશો એટલે પેલા ભાઇને મદદ મળી રહેશે,તમે નેતા હશો અને પ્રામાણીક હશો એટલે ગ્રાન્ટની રકમમાં એક પણ પાઇ કમીશન ન લઇ પુરતા નાણાં ખર્ચશો.,પ્રામાણીક અધિકારી લાંચ ન લઇ જે સાચો હશે તેને મદદ કરશે એટલે ખોટા રુપિયાના જોરે શેખી મારતા વ્યકિતને પણ એમ થશે કે હવે ખોટું નહી ચાલે અને સાચાને ન્યાય મળશે,તમે શિક્ષણ કે આરોગ્યનો વેપાર નહી કરો તો ઓટોમેટીકલી જરુરુિયાત વ્યકિતને તેનો લાભ મળશે અને કોઇ આપણા ભાઇ કે બહેન પૈસાના અભાવે મૃત્યુ નહી પામે ...તો કેટલા આશિર્વાદ તમને મળશે...કરોડ રુપિયા ખોટી રીતે કમાવીને લાખ રુપિયો દાન કરી પાંચ મુર્ખ લોકોની વાહવાહી મેળવવા કરતા પ્રામાણીક રહી ભગવાનની વાહવાહી મેળવવી વધારે ઉતમ છે...એક ચેનલના એડિટર તરીકે જ્યારે હું કોઇ ન્યૂઝ લેતો હોંવ ત્યારે મારો ઉદેશ્ય માત્ર ને માત્ર સચ્ચાઇ બતાવવાનો હોય છે..પરંતુ આજે એટલી હદે પક્ષાપક્ષીએ જોર પકડ્યું કે પાર્ટીના કાર્યકરોથી માંડીને પોતાને જાણે કે પાર્ટીના પ્રમુખ સમજતા એવા ઘણા લોકો સીધા આક્ષેપ કરતા જરાય પણ ખચકાટ અનુભવતા નથી...મને તો એ વાતનુ હસવું આવે છે કે ક્યારેક તો એવા ફોન આવે કે યાર તમે તો ભાજપના ચેલા હોય તેવું લાગે છે,ઘણા તો તમે કોંગ્રેસી લાગો છો...અરે ભાઇ તમે તમારા પક્ષની ચશ્મા ઉતારીને જુવો અમે મનુષ્ય છીએ અને તે પણ પ્રામાણીક ..તમારી જેમ આક્ષેપો કરવા કરતા ઉંડાણથી સત્ય ચકાસવાની અમે તસ્દી લીધી છે...આવા વ્યકિતોને હું ક્યારેક સિરિયસલી લેતો નથી પરંતુ ક્યારેય મોઢામાંથી શબ્દો જરૂર નીકળી જાય કે તમે તમારા ઇષ્ટદેવના સોંગદ ખાઇને કહો કે તમે કયારેય ખોટું નથી કર્યું ..અને જો કર્યું છે તો તમને અધિકાર નથી બીજા પર આક્ષેપ કરવાનો...તમે તમારું ઘર કે પાર્ટી યોગ્ય રીતે સંભાળતા નથી અને બીજા પર સીધા આક્ષેપ કરતા સહેજ પણ સંકોચ નથી થતું....કહેવાનો મતલબ કે દુનિયા વિચાર્યા વગર પ્રતિભાવો આપવામાં માને છે..કોઇ વ્યકિત ,પાર્ટી કે સમાજનો ભક્ત થવા કરતા ભગવાનનો ભકત બનશે તો આ પરિસ્થિતિમાં પણ તમે સાચું શું અને ખોટું શું એ સમજી અને વિચારી શકશો...હું મારા મહામંથન પ્રોગ્રામમાં હંમેશા સત્ય અને સચ્ચાઇ,ખાસ કરીને જનતાના હીત માટે ચર્ચા કરતા હોવ છું  ત્યારે મારે કોઇ પક્ષ કે નેતાથી ડરવાની જરૂર નથી હોતી કારણ કે જો તમે સત્ય પીરસી ન શકતા હોવ તો તમને ખોટું પીરસવાનુ કોઇ અધિકાર પણ નથી. છતાં પણ ઘણા લોકોને સારૂ લાગશે ઘણાને ખોટું...કારણ કે જેવી જેની બુદ્ધી હશે તેવો તે વિચારશે..આપણું કામ સાચું પીરસવાનુ છે.....એટલે આજે નવા વર્ષ મિત્રોને મારે વિનંતી કરવી છે કે આજે સંકલ્પ લો તો પ્રામાણિક બનવાનો લેજો.કર્મના સિધ્ધાતને વળગી રહેવાનો લેજો.,ભક્ત માત્ર ભગવાનના કે ઇષ્ટદેવને બનાવવાના લેજો..