Total Pageviews

Powered By Blogger

Monday, November 23, 2015

Saturday, November 21, 2015

Sunday, November 8, 2015

નીતિશ કુમાર બીહારના સદા બહાર


નીતિશ કુમાર બીહારના સદા બહાર
દિલ્હીની ચૂંટણી બાદ બીહારની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીનો જાદુ અને અમિત શાહના બાહુબલી કામ ન લાગ્યા....2014ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 26 માંથી 26 અને ઉતરપ્રદેશ જેવા રાજયમાં 80 માંથી 71 બેઠકો સાથે જંગી બહુમતી મેળવનાર નરેન્દ્ર મોદીનો પ્રકાશ ધીરે ધીરે ઓછો થતો જતો હોયતેવુ લાગે છે...દિલ્હીમાં કેજરીવાલ બાદ બીહારમાં લાલુ અને નિતીશે ભાજપના સુપડા સાફ કરી દીધા...તમામ એજન્સીઓના સર્વે ફોફ સાબીત થયા છે..બીહારમાં લાલુએ નિતીશ કરતાં પણ વધારે બેઠકો મેળવીને બીહારીઓ પર જાદુ કરી દીધો છે..એનડીએ સરકાર બીહારમાં હારવા પાછળ મુખ્ય કારણ મોદીનો જાદુ ન ચાલ્યો..,અમિત શાહની સોગઠાબાજી ન ચાલી એટલું જ નહી એનડીએ ના સાથી પક્ષો પણ ચાલી ન શકયા,,સામે પક્ષે નિતીશ કુમારની શાસન પધધ્તી બીહારીઓને પસંદ પડી..સાથે સાથે વર્ષોથી સતાથી દુર લાલુની પાર્ટીએ સારો દેખાવ કર્યો..બીહારમાં 243 બેઠકોમાં મહાગઠબંધને જેડીયુ,આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી યોગ્ય રીતે કરી હતી...સાથે સાથે લાલુ અને નિતીશ દર વખતે સામ સામે લડતા હતા..જેનો ફાયદો ત્રીજાને મળવાની શકયતા હોય છે..પરંતુ આ વખતે તેઓ એક સાથે લડ્યા આથી મતોના ભાગલા ન પડતા મહાગઠબંધનને સારી જીત મળી ગઇ...બીજી બાજુ મોટુ ફેકટર નરેન્દ્ર મોદી અને અમિત શાહના જુમલા ચાલ્યા નહીં....નરેન્દ્ર મોદીના અચ્છે દીનના વાયદાઓને જનતા રાહ જોતી હતી..પરંતુ મોદી સાહેબ વિદેશ પ્રવાસમાં પોતાના પ્રચાર અર્થે બીઝી હોવાનુ જનતાને લાગ્યું...લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીનો જાદુ એવો હતો કે જેમાં જનતાને મોદીમાં  અલ્લાઉદીનનો ચીરાગ  નજર આવી રહ્યો હતો.... કારણ કે એ સમયે કોંગ્રેસના ભ્રષ્ટ્રચાર થી જનતા ત્રસ્ત હતી..બીજી બાજુ આ ભ્રષ્ટ્રચારને મોટા ભાષણોથી મોદીએ નાના બાળકો સુધી એવુ ફેલાવી દીધું હતું કે મોદીમાં જનતાને એક સાચા હીરો નજર આવતા હતા..પરંતુ દોઢ વર્ષ ઉપર થવા આવ્યું હોવા છતાં જનતાને કશુ મળ્યું નહી..એટલું જ નહી 200 રુપિયા કિલો દાળ પહોંચી ગઇ...કાચા તેલની કિંમત ઘટવા છતાં પેટ્રોલ અને ડીઝલમાં વારંવાર એકસાઇઝ ડયુટીના નામે જનતા પર પડ્યા પર પાટું જેવી હાલત થઇ..અને આ કારણે જ બીહારની નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીના જાદુને સ્વીકાર્યો નહી...બીજી બાજુ રાજનિતીમાં ખાંટુ મનાતા નીતિશ કુમાર મોદીના ડીએનએ જેવા ભાષણને એવી રીતે ઉપાડ્યું કે જાણે બીહારની જનતાનો મોદીએ અપમાન કર્યું હોય...લાલુ પ્રસાદ યાદવ પણ પોતાની બેટી પરની ટીપ્પણીને બીહારની માતા બહેનોના અપમાન સાથે ખપાવી મોદીના ભાષણનો ફાયદો ઉઠાવ્યો હતો..બીહારની જનતાએ ફરી વાર નીતિશ અને લાલુની પસંદગી કરી વાયદાઓથી દુર રહી છે..


Monday, September 14, 2015


આંદોલનનો અંત કયારે  ?

ગુજરાતમાં પાટિદાર સહિત અન્ય સમાજના  આંદોલનને પગલે ધીરે ધીરે ગુજરાતની શાંત છબી ખરડાઇ રહી છે...રાજયમાં વિદેશીઓથી માંડીને વ્યાપાર અર્થે આવતા અન્ય રાજયોના લોકો પણ કયાક ને કયાક અશાંતિના ડર થી પોતાના કાર્યક્રમો રદ્દ કરી રહ્યા છે..હાલમાં જ વલ્ડ બેંકના આવેલા ડેટા પ્રમાણે દેશ ભરમાં વ્યાપાર અને મુડી રોકાણ માટે આદર્શ રાજય તરીકે પ્રથમ ક્રમે ગુજરાત નો નંબર આવ્યું। .પરંતુ આ ડેટા જ્યારે વલર્ડ બેંકે જાહેર કર્યા હતા..ત્યારે ગુજરાતમાં પાટિદારોની સીએમ સાથેની મુલાકાતને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો..જેને પગલે આ સમાચાર આંદોલનની જ્વાલામાં ઢંકાઇ ગયા હતા..જો કે આ સર્વે કદાચ આંદોલન પહેલા કરાયો હશે..પરંતુ જો હવે સર્વે કરાવવામાં આવે તો ગુજરાતનો નંબર આદર્શ મુડીરોકાણ માં પ્રથમ પાચમાં પણ ન આવે તેવુ બને....ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય છે...અને સાથે સાથે વ્યાપાર પ્રિય પણ...પરંતુ છેલ્લા બે મહિનાથી પાટિદાર આંદોલન બાદની પરિસ્થિતિએ ગુજરાતમાં મુડી પતિઓને વિચારતા કરી દીધા છે..એમા કોઇ શંકા નથી..
   પરંતુ પાટિદારોનુ આંદોલન કેમ બંધ નથી થતું?  તેવા સવાલો દરેક બિન પાટિદારને થતા હશે...એટલું જ નહી કેટલાક આગેવાન પાટિદારો પણ સતત આંદોલનની આંધીથી થઇ રહેલ સમાજને નુકશાન અંગે ચિંતા પણ વ્યકત કરી છે...પરંતુ તેઓ નવી પેઢીને સમજાવવવામાં ઉંણા ઉતરી રહ્યા છે..તેનુ કારણ કદાચ પાટિદારોનુ આંદોલન ટિવી અને છાંપાનુ આંદોલન બની ગયું એ હોઇ શકે..બીજી તરફ કેટલાક સતા લાલસુ બિલ્ડરો અને મોટા માથાઓ ફંડીંગથી માંડીને તમામ સ્તરે હાર્દિકને મદદ કરવાનુ બીડુ ઝડપ્યું છે..આથી બાવીસ વર્ષીય હાર્દિકના નામે તેઓ પાટિદાર આંદોલનને વેગવંતુ રાખવા માગી રહ્યા છે...હાર્દિકને પણ આ આંદોલન ઢીલું મુકવામાં કોઇ રસ નથી કારણ કે તેને દરરોજ લાખ્ખો રુપિયા દેતા ન મળે તેટલી પબ્લિસિટિ આ આંદોલનના કારણે મળી રહી છે..બીજી બાજુ હાર્દિકને એ પણ ખ્યાલ છે..કે જો આ આંદોલનને એક મહિના સુધી સતત જવિંત ન રાખુ તો તરત લોકોના મનમાં તે ભૂલાઇ જશે...આથી તે તેમના સાથીઓ સાથે દરરોજ નવા ગતકડા કરીને આંદોલનને ચાલુ રાખે છે..ગત રોજ મુખ્ય પ્રધાન સાથે હાર્દિક અને તેમની સાથેના કન્વીનરોની મુલાકાત થઇ જેમાં અનામત આપવા અંગેની કોઇ વાત થઇ નથી...તો હાર્દિક કયા મોઢે અનામત આપો તો જ આંદોલન બંધ કરીએ તેવી વાતો કરે છે...આથી એ સ્પષ્ટ થાય છે,કે હાર્દિક સહિત તેમના દરેક સાથીઓને એ ખબર છે કે આંદોલન અનામતના નામે ચાલે છે...અનામત ગુજરાત સરકાર તુરંત આપી શકે તે વાત માં માલ નથી..આથી તેઓ સીએમ સાથેની મુલાકાતમાં પોલિસ દમન સહિતના મુદ્દે ચર્ચા કરી મુલાકત કરવા ખાતર કરી...કારણ કે જો સીએમ એમ કહે કે અનામત અંગે પણ કેન્દ્રના ઓબીસી પંચ સમક્ષ  ગુજરાત સરકાર ખુદ રજૂઆત કરશે,..તો પછી આંદોલન સમેટી લેવું પડે..આથી હાર્દિકે અનામતને લઇને કોઇ ઠોસ ચર્ચા ન કરી..અને તેણે પોતાની દાંડી યાત્રા કે જેને એકતા યાત્રાનુ નામ આપીને કાઢવાની જાહેરાત પણ કરી દીધી।..મતલબ સાફ છે..કે કોઇ પણ ભોગે આંદોલલને જિવંત રાખીએ જેથી ટીવી અને છાપામાં ભરાઇ ભરાઇને તેમને સ્થાન મળે...જો આ પ્લાન મુજબ ગણિત શાસ્ત્રના આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો દાંડી બાદ હાર્દિક ફરી સરદારના સ્ટેચ્યુ સુધી ચાલીને જવાની પણ જાહેરાત કરી શકે છે..કારણ કે આંદોલનના નામે હાર્દિકને હાલ ઘણા ફુલ મળી શકે તેમ છે..અને આ જ કારણ છે,કે અનામતના નામે શરૂ થયેલ આંદોલન બંધ થવાનુ નામ નથી લેતું।....પાટિદારોનુ આ આંદોલન એટલા માટે વેગવંતુ બન્યુ છે,કે એક તો સ્થાનિક સ્વારજયની ચૂુંટણીઓ આવી રહી છે.બીજી બાજુ જે પણ નેતા કે બીલ્ડરો સહિતના મોટા માથા આંદોલનને સમર્થન કરે કે તુરંત તેઓ પણ હીરો બની જાય છે..આથી વગર ખર્ચે આકાશી ઉડાન કોને ન ગમે..સામે પક્ષે સરકાર એવી છે,કે જેમાં મોટા ભાગે પાટિદાર આગેવાનો છે.અને તેઓ પોતાના સમાજ પર એ હદે બદલાની ભાવના રાખે એમા માલ નથી..આથી મોસાળે જમણવાર હોય અને મા પિરસનારી હોય તેવો ઘાટ હાલ ગુજરાતના પાટિદાર આંદોલન પાછળ જોવા મળી રહ્યો છે..આથી આ આંદોલન આવનારા દિવસોમાં સદંતર બંધ થાય તેવુ લાગતુ નથી...ખેર ગુજરાતની બીજી ઘણી એવી સમસ્યાઓ છે,કે જેમાં દુષ્કાળની પરિસ્થિતિ ,ખેડૂતોના બેહાલ,આર્થિક નુકશાન,સમાજમાં દ્રેષ ભાવનામાં વધારો સહિતના મુદ્દાઓ વધી રહ્યા છે..છતાં ઘણા લોકો માટે પાટિદાર આંદોલન કેરીયર બનાવી દેવાનો લ્હાવો છે, અને આથી તેઓ એ દિશામાં આગળ વધી રહ્યા છે. ।

  

Monday, August 31, 2015